ટંકારા આર્ય સમાજ ખાતે યોગ તાલીમ માર્ગદર્શન શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રવિવાર ના રોજ ટંકારા સ્થિત નવા આર્યસમાજ ખાતે યોગ ટ્રેનર તાલીમ માર્ગદર્શન શિબિર  યોજાઈ હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત મોરબી જિલ્લા યોગ કોડિનેટર શ્રી વાલજીભાઈ ડાભી તથા આર્યસમાજના આચાર્ય શ્રી રામદેવજી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રામદેવજીએ યોગ એ આપણા જીવનનું એક અમુલ્ય અંગ છે તે વિશે અને અષ્ટાંગ યોગ વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું. તેમજ વાલજીભાઈ ડાભી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માં યોગ કોચ અને યોગ ટ્રેનર બનવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ રોગ અનુસાર યોગ અને પ્રેકટીકલ પણ કરવ્યું. જે યોગ સાધકોને ખુબજ આનંદદાયક રહી હતી.

આ એક દિવસીય યોગ શિબિરનું પૂર્ણાહુતિ એક નવા સંકલ્પ સાથે કરવામાં આવી આ ટંકારા તાલુકાના ખાતે કરવામાં આવે યોગ શિબિર માટે યોગ કોચ કંચનબેન સારેસા તેમજ ડિમ્પલબેન સારેસા એ ખૂબ જ ભારે જહેમત ઊઠાવી હતી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા તાલુકામાં યોગ ટ્રેનર બનવા ઈચ્છતા લોકોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો કંચન એમ.સારેસા (9558926180/9687442735)