મોરબી : યુક્રેનથી પરત આવેલ વિર્ધાથીનીનુ ભાજપ દ્વારા સ્વાગત કરાયુ

મોરબી તાલુકા ના ત્રાજપર ગામે યુક્રેન થી પરત આવેલ મેડીકલ ની વિર્ધાથીની શૈલેજા લાલજીભાઇ કુનપરા નુ ધર ના સભ્યો એ ત્રાજપર ના આગેવાનો એ, ભાજપ પરીવારે ઉમળકા ભેર સ્વાગત કર્યુ

શૈલેજા ને યુક્રેન – રશિયા યુધ્ધ ના ભયાનક માહોલ વચ્ચે ભારત સરકાર ના ઓપરેશન ગંગા અંતર્ગત હેમખેમ ધરે પહોંચતા તેમના માતા પિતા દ્વારા લાગણી સભર ધડી ને ફૂલડે વધાવી હતી તેમજ ભારતમાતા નુ પુજન કર્યુ  ત્યારબાદ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા પંચાયત સભ્ય તુલશીભાઇ પાટડીયા, અશોકભાઇ વરાણીયા, જગદીશભાઇ, બચુભાઇ અમ્રુતિયા તેમજ ઠાકોર સમાજ ના આગેવાનો દ્વારા મો મીઠું કરાવી સન્માન કરાયુ

ભારત સરકાર ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની યુક્રેન મા ફસાયેલા ભારતીયો ને સહીસલામત પહોચાડવા ઓપરેશન ગંગા હાથ ધરી 17000 ભારતીયો ને પરત લાવવા મા આવ્યા છે ત્યારે શૈલેજાબેન ના પિતા લાલજીભાઇ કુનપરા દ્વારા સરકાર પ્રત્યે કુ્તજ્ઞતા વ્યક્ત કરી પી એમ કેર ફંડ મા રુ 21000 અને સી એમ રીલીફ ફંડ મા રુ 11000 નો ચેક અર્પણ કર્યો હતો