રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયુર્વેદિક પેટીનું વિતરણ કરાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા મોરબી જિલ્લા ના માળીયા તાલુકાના દરિયાઈ પટી પર આવેલ ગ્રામ્ય વિસ્તાર ના લોકો ના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક પેટી નું વિતરણ થયું ગ્રામ્ય વિસ્તાર ના તમામ લોકો ને સ્વાસ્થ્ય સુવિધા આસાની થી મળી રહે તે માટે ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવાસમિતિ રાજકોટ દ્વારા આ કાર્ય ગત તારીખ 6.3.2022 ના રોજ સંપન્ન થયું.

માળીયા તાલુકાના દેવગઢ, જાજાસર, બગસરા, વવાણીયા, વર્ષામેડી, ઝીંઝુડા તથા ફડસર મુકામે આયુર્વેદિક પેટી નું લોકાર્પણ થયું.  આ કાર્ય માં મોરબી જિલ્લા સેવાપ્રમુખ રણછોડભાઈ કુંડારીયા, મગનભાઈ રાઠોડ તથા પ્રાણજીવનભાઈ વિડજા ઉપસ્થિત રહેલ.   .