રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબી દ્વારા અભ્યાસ વર્ગ યોજાશે

કાર્યકર્તાઓના ઘડતર માટે છ સત્રોમાં વિવિધ વિષયો પર રાજયકક્ષાના હોદેદારો માર્ગદર્શન પુરૂ પાડશે

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા..શિક્ષા કે હિતમે શિક્ષક.. શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો,મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ અને કાર્યકરોની મનો ભૂમિકા સંગઠનની કાર્ય પદ્ધતિ અને પ્રચાર-પ્રસાર સંઘ વિચાર,પરિવાર અને આર્થિક સૂચિતા નવી શિક્ષણનીતિ શિક્ષણના પડકારો

હોદેદારોની જવાબદારી સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો પર ડો.જયંતીભાઈ ભાડેસિયા કાર્યવાહકજી ગુજરાત પ્રાંત બી.એમ.સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી રતુભાઈ ગોળ મંત્રી રાજ્ય મહાસંઘ મુળજીભાઈ ગઢવી કચ્છ મહાસંઘ મહેશભાઈ મોરી અને હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર Qપ્રાંત સુનિલભાઈ પરમાર શિશુમંદિર,વિપુલભાઈ અધારા કાર્યવાહકજી રાજકોટ સંભાગ મહેશભાઈ બોપલીયા કાર્યવાક મોરબી જિલ્લો દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ મહાસંઘ-મોરબી વગેરે ઉપરોક્ત વિષયો પર સમગ્ર મોરબી જિલ્લામાંથી સોથી વધુ કાર્યકર્તાઓને સમગ્ર દિવસ દરમ્યાન માર્ગદર્શન પૂરું પાડશે.એમ કિરણભાઈ કાચરોલા મંત્રી પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ અને હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રીની યાદીમાં જણાવવામાં આવે છે.