આપના દિગ્જ નેતાઓની હાજરીમાં તીરંગા યાત્રા યોજાશે

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પંજાબ વિજય થવાની ખુશીમાં તીરંગા યાત્રા આયોજન તારીખ 13/03/2022 ના રોજ બપોરે 3:30 કલાકે કરવામાં આવ્યું છે.તો તમામ મોરબી જિલ્લાની જનતા ને આ તીરંગા યાત્રામાં જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

યાત્રા રૂટ ભક્તિનગર સર્કલ, ઉમીયા સર્કલ, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝ, વિસીફાટક. મુખ્ય મહેમાન  દિલ્હી ધારાસભ્ય નરેશભાઈ યાદવ, ગુજરાત પ્રદેશ યૃવા પ્રમુખ પ્રવિણભાઈ રામ હાજર રહેશે