મોરબી ફેઈર પ્રાઈઝ શોપ એસો. ના નિયુક્તિ પ્રમુખનું સન્માન કરાયું

મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા લોહાણા સમાજ તેમજ ભાજપ અગ્રણી દીનેશભાઈ ભોજાણી (દીનુ મામા) ની મોરબી ફેઈર પ્રાઈઝ શોપ એસો. ના પ્રમુખ પદે નિયુક્તિ થતા સન્માન કરવા મા આવ્યુ

તાજેતર મા મોરબી સસ્તા અનાજ ની દુકાનો ના સંગઠન (ફેઈર પ્રાઈઝ શોપ એસોશિયેશન) ની બેઠક મળી હતી જેમા મોરબી રઘુવંશી સમાજ તેમજ ભા.જ.પ. અગ્રણી દીનેશ ભાઈ ભોજાણી (દીનુ મામા) ની પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવા મા આવી હતી. જે બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, જીતુભાઈ કોટક સહીતનાઓ એ માનનિય દીનેશભાઈ ભોજાણી નુ સન્માન કરવા મા આવ્યુ હતુ તેમજ અભિનંદન પાઠવ્યા હતા.