મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે સંદર્ભે મોરબી જિલ્લા દલિત સમાજના આગેવાનોની મીટીંગ મળી હતી.

આગામી તા. 14 એપ્રિલના રોજ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી માટે ગઈકાલે તારીખ 13 ના રોજ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા, ટાઉન હોલ મોરબી ખાતે મોરબી જિલ્લા દલિત સમાજના આગેવાનોની મીટીંગ મળેલ હતી. જેમાં આગામી 14 એપ્રિલ 2022 ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી સમગ્ર દલિત સમાજના લોકોએ સાથે મળીને ધામધૂમથી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેશન રોડ સમાજની લાઈબ્રેરીથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી ગાંધી ચોકમાં આવેલ બાબા સાહેબની પ્રતિમા પાસે પૂર્ણ થશે.