મોરબી : માજી આર્મીમેનનો આગોતરા જામીન પર છુટકારો

મોરબીની સેસન્સ કોર્ટ વિશ્વાસ માજી આર્મીમેન શીવાજી યશવંત પાટીલનો ટંકારા પોલીસ સ્ટેશન ના આઈ.પી.સી કલમ ૩૫૪ ડી ૫૦૪, ૫૦૬(૨) તથા આઈ.ટી એકટની કલમ ૬૭એ. મુજબના ગુનામાં આગોતરા જામીન પર છુટકારો.

ટંકારા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદીએ પોતાની સાથે પોતાના પતીને સારી નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવી અવારનવાર ફરીયાદીની મરજી વીરુધ્ધ તથા રૂબરૂ વાતચીત કરી હેરાન પરેશાન કરી ફરીયાદી સાથે વ્યકતીગત વાર્તાલાપ વધારવા તથા તેની સાથે સંબંધ રાખવા મોબાઈલ ફોનથી પીછો કરી ફરીયાદીને તથા સાહેદ ફરીયાદીના પતીના મોબાઈલમાં આરોપીએ પોતાના મોબાઈલ ઉપરથી મોકલી વાય૨લ કરી અને વધુ વાયરલ કરવાની ધમકી આપીગુનો કરેલાની ફરીયાદ આપેલ.

ઉપરોકત ફરીયાદ પરથી ટંકારા પોલીસે આરોપી વીરુધ્ધ આઈ.પી.સી કલમ ૩૫૪ ડી ૫૦૪, ૫૦૬(૨) તથા આઈ.ટી એકટની કલમ ૬૭એ મુજબનો ગુનો નોંધેલ.આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરેલ. અને દલીલ કરીને જણાવેલ કે આરોપીએ આવો કોઈ ગુનો કરેલ નથી પોતે નીવૃત આર્મીમેન હોય.

સમાજમાં આબરુદાર વ્યકતી હોય આરોપીએ કોઈ બળજબરી પુર્વકનું કૃત્ય કરેલ નથી. આરોપીએ કોઈ ચેટ વાયરલ કરેલ નથી. આરોપીએ સબંધનો કોઈ દુ૨ઉપયોગ કરેલ નથી. પોતે માહારાષ્ટ્રના કાયમી રહેવાશી છીએ. કયાય નાશીભાગી જાય તેમ નથી. તેમજ નામ. સુપ્રીમ કોર્ટના STDHARM SALTNGAPP MHETRE VS STATE OF MAHARASTRA 2001 માં જણાવેલ ચુકાદા રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ તેમજ વધુમાં દલીલ કરેલ કે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવી જરુરી નથી. આરોપી તપાસમાં સહકાર આવા તૈયાર છે.

બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ આર. અંગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને રૂા. ૧૫,૦૦૦ ના આગોતરા જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી ત૨ફે મો૨બી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, દેવજી વાઘેલા,જીતેન અગેચાણીયા, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, સાગર પટેલ, દીવ્યા સીતાપરા. રોકાયેલા હતા.