વાંકાનેર : શ્રીમતી એલ. કે. સંઘવી વિદ્યાલય વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ અને ૧૨ ની રસીદ વિતરણ કરાઈ

શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય –  વાંકાનેર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને રસીદ વિતરણ કરવામાં આવેલ. રસીદ ની સાથે વિદ્યાર્થીઓની શાળા પરિવાર તરફથી અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા શુભેરછા પત્ર પણ  આપવામાં આવેલ.

આજના દિવસે શુભેચ્છા આપવા ટ્રસ્ટી અમરસિંહભાઈ મઢવી પણ હાજર રહેલ. અન્ય ટ્રસ્ટીઓ તથા  શાળાના પ્રમુખ શ્રી લલીતભાઈ મહેતા દ્વારા પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવેલ. પ્રધાનાચાર્ય, દર્શનાબેન જાની દ્વારા જણાવવામાં આવ્યું કે દરેક વિદ્યાર્થી તનાવમુક્ત થઈ જવાબદારીપૂર્વક પરીક્ષા આપી પરીક્ષા રૂપી ઉત્સવમાં આનંદપૂર્વક જોડાય અને પોતાની ઉચ્ચ કારર્કિદી નું નિર્માણ કરે આ માટે તમામ શાળા પરિવાર દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી.