મોરબી નીલકંઠ વિદ્યાલયમાં શહીદદિન નિમિતે એતિહાસિક રેલી યોજાઈ

મોરબીની ખ્યાતનામ નીલકંઠ વિદ્યાલયની શહીદદિન નિમિતે મહા રેલી યોજાઈ જેમા 1000 થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ક્રાંતિકારીઓ, ભારતીય વાયુ સેના, નેવી તેમજ ભારતીય આર્મીની વેશભૂસામાં મોરબીના રાજમાર્ગો પર ફરી હતી અને આ રેલી એટલી ભવ્ય હતી કે લોકો પણ જોઈને મંત્રમુગ્ધ બની ગયા હતા.

આ રેલીમાં વિદ્યાર્થીઓનું રાજમાર્ગો પર ફૂલો થી ભવ્ય સ્વાગત પણ કર્યું હતું અને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ વધે તે હેતુ થી લોકોએ જુસ્સા ભેર આવકાર્ય હતા આ રેલીમાં સામાજિક રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિશેષ હાજરી રૂપે રિટાયર્ડ આર્મી ઓફિસરોએ પણ હાજરી આપી હતી