મોરબી : શહીદ દિન નિમિતે ABVP ના આયામ SFS સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 1949 થી વિદ્યાર્થી હિત તેમજ રાષ્ટ્ર હિત માટે કાર્યરત વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.વિદ્યાર્થી પરિષદ એ માત્ર શિક્ષણ જગત સીમિત નહિ પરંતુ વિધાર્થીઓ પણ સમાજ ને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેવી ભાવના સાથે કોરોના જેવી મહામારી માં પણ તંત્ર અને સમાજ સાથે પણ ખડે પગે ઉભેલ.

એ જ રીતે ABVP ના સ્ટુડન્ટ ફોર સેવા ના આયામ અંતર્ગત 23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9:00 વાગ્યા થી 2:00 વાગ્યા સુધી યોજવામાં આવ્યો તેમા મુખ્ય અતિથિ તરીકે સ્વામિનારાયણ મંદિર ના સ્વામી પ્રેમપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિતિ રહ્યા અને રક્તદાતાઓ ને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા આ કેમ્પમાં વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકો એ કેમ્પમાં રક્તદાન કર્યું .