મોરબી : આપ દ્વારા શહીદ દિવસે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

શહીદ દિવસ નીમીતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર ના માર્ગદર્શન હેઠળ ભગતસિંહના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

જેમાં મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા, મોરબી જિલ્લા આઈટી સેલ પ્રમુખ પ્રદિપભાઈ ભોજાણી, મોરબી શહેર પ્રમુખ મુકેશભાઈ હડિયલ, મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા, મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કક્કડ, મોરબી શહેર યુવા ઉપપ્રમુખ સ્મિતભાઈ તથા ધણા યુવાનો જોડાયા હતા