મોરબીમાં રાજા -રાજાણી પરિવાર ના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા ચૈત્ર સુદ-૨ ને તા.૦૩/૪/૨૨ ના રોજ શનાળા બાયપાસ એસ્સાર પેટ્રોલ પંપ વાળી શેરી મોરબી ખાતે જળમાયુ માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે, ધજા વિધિ સવારે ૯:૩૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહુતિ બપોરે ૧:૩૦ કલાકે થશે. આ જળમાયું માતાજીના નવચંડી યજ્ઞનો બહોળી સંખ્યામાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા પ્રમુખ હસુભાઈ રાજા તથા ટ્રસ્ટીઓ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે પ્રમુખ હસુભાઈ રાજા મો. ૯૪૨૯૫ ૬૫૧૮૭ પર સંપર્ક કરવો.