ટંકારા : નેકનામ ગામે રાજા ભરથરી નાટક યોજાશે

નેકનામ ગામે રામજી મંદિરના પૂજારી પરિવારના  લાભાર્થે તારીખ 2 ના રોજ રાજા ભરથરી નાટક યોજાશે.

ટંકારા તાલુકાના નેકનામ ગામે શ્રી રામજી મંદિર ના પુજારી પરિવાર ના  લાભાર્થે મહાન  ઐતિહાસિક નાટક ભજવાશે.  નેકનામ દરબાર ગઢ ખાતે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ ના નાયક બાબુલાલ કાનજીભાઈ વ્યાસ ની ટીમ દ્વારા ભવ્ય નાટક રાજા ભરથરી તારીખ 2/4/2022 શનિવાર રાત્રે ભજવવામાં આવશે .

નેકનામ ગામ સમસ્ત દ્વારા આ નાટક નિહાળવા તથા ઉદાર હાથે સહયોગ આપવા અપીલ કરાયેલ છે.