ટંકારા : નેસડા સુરજી ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે ઝાપડા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ 2/4/22 થી યોજાશે.

ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે ઝાપડા પરિવાર દ્વારા  શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, વિષ્ણુયાગ તથા બારબીજના ધણી નો પાઠ યોજાશે. ભાગવત સપ્તાહ નો પ્રારંભ તારીખ  2/4/ 2022 શનિવારના રોજ થશે .કથાની પૂર્ણાહુતિ તારીખ 8/ 4 2022 શુક્રવારના રોજ થશે. કથા ઝાપડા પરિવાર ના મઢ   નેસડા સુરજી ખાતે યોજાશે.

ભાગવત સપ્તાહ નું રસપાન પ્રખર વક્તા  મહંતશ્રી પરચાધર જગ્યા , કામલપુર ના શ્રી વાલદાસ બાપુ પોતાની આગવી શૈલીમાં કરાવશે.ધર્મપ્રેમી લોકોને કથા શ્રવણનો લાભ લેવા વિનંતી છે.