મોરબી : મહાપ્રસાદ યોજી પરિવારના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો કાનાણી પરિવાર

સ્વ.અનસોયાબેન ધીરજલાલ કાનાણી નુ તાજેતર મા અવસાન થતા મહાપ્રસાદ યોજી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાનાણી પરિવાર

મોરબી નિવાસી સ્વ. અનસોયાબેન ધીરજલાલ કારીયા નુ તા.૨૫-૩-૨૦૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ. સ્વર્ગસ્થ માતા ની યાદ મા તેમના સુપુત્રો રાજુભાઈ, હરીશભાઈ, વિજયભાઈ, બીપીનભાઈ તથા સુપુત્રી રશ્મિબેન દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.

આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, હસુભાઈ પંડિત સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.