મોરબી : હરીચરણદાસજી મહારાજની શ્રધ્ધાંજલિ નિમિતે મહાઆરતી તથા મહાપ્રસાદનુ આયોજન

સદ્ગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ની શ્રધ્ધાંજલિ નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે તા.૭-૪ ના રોજ મહાઆરતી તથા મહાપ્રસાદ નુ આયોજન, ગુરૂદેવ ના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે

સદ્ગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ગત તા.૨૮-૩-૨૦૨૨ ના રોજ બ્રહ્મલીન થયા, ગુરૂજી દેવલોક પામ્યા બાદ તેમનો પ્રથમ જન્મદીન તા.૭-૪-૨૦૨૨ ગુરૂવાર ના રોજ હોય, મોરબી નિવાસી ગુરૂજી ના શિષ્યો દ્વારા તા.૭-૪-૨૦૨૨ ના રોજ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સાંજે ૭ કલાકે ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તેમજ ત્યારબાદ મહાપ્રસાદ નુ આયોજન કરેલ છે. તો દરેક ગુરૂભક્તો ને સમયસર ઉપસ્થિત રહેવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા વિનંતી.