મુખ્યમંત્રી આગામી ૧૧મી એપ્રિલના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે

ખોખરા હરીહર ધામ ભરતનગર ખાતે રામકથામાં ઉપસ્થિત રહેશે

        ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી તાલુકાના ભરતનગર-બેલા ખોખરા હરીહર ધામ ખાતે તા.૦૮/૦૪/૨૦૨૨ થી તા.૧૬/૦૪/૨૦૨૨ દરમિયાન રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. આ રામકથાના કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.૧૧/૦૪/૨૦૨૨ ના રોજ ઉપસ્થિત રહેનાર છે.

મુખ્યમંત્રીના મોરબી જિલ્લાના આ પ્રવાસ અંતર્ગત તેઓ આગામી તા.૧૧/૦૪/૨૦૨૨ ના રોજ ૦૯:૫૦ કલાકે હેલીપેડ ઉતરી ૧૦:૦૦ કલાકે ખોખરા હરીહર ધામ ખાતે યોજાયેલ રામકથાના આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.