મોરબી: અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ નરેશ પટેલની મુલાકાત લીધી

શ્રી ખોડલધામ કાગવડ ખાતે સૌરાષ્ટ્રના દલિત સમાજના તમામ આગેવાનો , કાર્યકર્તાઓ બધાએ મળીને કાગવડ ખોડલધામ સંસ્થા ના ચેરમેન અને પાટીદાર શ્રેષ્ઠી તરીકે ઓળખાતા નરેશભાઈ પટેલ ને કોંગ્રેસમાં જોડાવવા માટે અને આવનાર 2022 ની ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માંનરેશભાઈ પટેલ ને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે એ કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લા માં થી એંસી (૮૦) જેટલા અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો ખોડલધામ,કાગવડ ગયા હતા.

જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમાર, મોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણા,મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપક પરમાર, પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન રાજુ ચૌહાણ, રવજીઈ સોલંકી, જગદીશમુછડીયા, વિનુ પરમાર, ભૂપતમામા,વિનોદ ચૌહાણ, કિશોર ઉભડિયા, પ્રેમજી બાપા સહિતના આગેવાનો નરેશ પટેલને રૂબરૂ મળી કોંગ્રેસમાં જોડાવવા ભાવ ભર્યું આમંત્રણ આપ્યું હતું .

સાથે સાથે નરેશભાઈ પટેલ જો કોંગ્રેસ માં આવે તો ગુજરાત ભરના દલિત સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી. દલિત સમાજ ની આવી ભાવ ભરી અપીલ થી નરેશ ભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈ ચારા નો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.