હળવદ : ઘનશ્યામપુર કન્યા પ્રાથમિક શાળા મા વિદાય સમારંભ યોજાયો

ધોરણ આઠની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો

વિશાલ જયસ્વાલ દ્વારા : એપ્રિલ મહીંના ની શરૂઆત થતાની સાથે જ પરીક્ષાઓ શરૂ થતી હોય છે ત્યારબાદ વેકેશનનો સિલસિલો શરૂ થાય છે ત્યારે દરેક સ્કૂલમાં ભણતર પૂરું કરી જનારા વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજવામાં આવે છે ત્યારે એવી જ રીતે હળવદ તાલુકાની ઘનશ્યામપુર ની કન્યા પ્રાથમિક શાળા નો વિદાય સમારંભ યોજાયો જેમાં ધોરણ આઠ ની બાળાઓ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યા જેમકે રમતોત્સવ માં ભાગ લેનાર વિજેતાઓને ઇનામ વિતરણ એક ભારત શ્રેષ્ઠ ભારત નો કાર્યક્રમ સહિતના અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા

બાળાઓએ પોતાની યાદગીરી માટે શાળાઓને ભેટ સોગાદ આપ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લઈ બધા છુટા પડ્યા આ કાર્યક્રમ મા શાળાના આચાર્ય ઈશ્વર તારબુંદિયા, તેમજ સાથી શિક્ષકો સનીઈ જોષી, ધવલ સંઘાણી, ઘનશ્યામ સોનાગ્રા, બબીતાબેન શર્મા, ગૌતમ પટેલ, હિતેશ પટેલ, સુરેશ મકવાણા સહિતનો એ જહેમત ઉઠાવી હતી