મોરબી : પક્ષીઓ માટે પાણી ના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરાશે

મોરબી માં આવતા રવિવારે તારીખ 17 એપ્રિલ ના રોજ સવારે પક્ષીઓ માટે પાણી ના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણી ની સિમેન્ટ ની કુંડીઓ નું વિતરણ કરવા માં આવશે

મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓ ને ઉનાળા ની ગરમી માં પાણી મળી રહે તેવા હેતુ થી પક્ષીઓ માટે પાણી ના કૂંડાઓ નું વિનામૂલ્યે વિતરણ કરવા માં આવશે આની સાથેજ અબોલ પશુઓને જેમકે ગાય,કૂતરાઓ,બિલાડી વગેરે ને પણ પાણી મળી રહે તે માટે સિમેન્ટ ની કુંડીઓ નું પણ રાહત ભાવ (ફક્ત રૂપિયા 80)થી વિતરણ કરવા માં આવશે

આ કુંડી માં 8 થી 9 લીટર જેટલું પાણી ભરી શકાય છે. વિતરણ ની તારીખ 17 એપ્રિલ,રવિવાર સવારે 10 વાગ્યે થી રેહસે સ્થળ – સુભાષ ચોક , સરદાર બાગ ની સામે, ૐ શાંતિ સ્કૂલ પાસે, શનાળા રોડ મોરબી આ વિતરણ માં વેહલા તે પેહલા ના ધોરણે લાભ લેવા વિનંતી