મોરબી : ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ડો.આંબેડક જન્મજયંતિની ઉજવણી કરાઇ

આ સદીના મહાનાયક, ભારતરત્ન બાબાસાહેબ આંબેડકર ની 131 મી જન્મજયંતિના અવસરે ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે ડો.આંબેડકરની પ્રતિમા ને RSS ના કાર્યકરો તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા હારતોરા કરવામાં આવ્યા વિશેષ માં આ વિસ્તાર માં ચાલતા શિવણ કેન્દ્ર ખાતે ડો. બાબાસાહેબ ના એકાત્મ ભારત ના સંદર્ભે વિચાર અંગે પ્રવચન રાખવામાં આવેલું

આ કાર્યક્રમ માં વક્તા તરીકે રાજેશભાઇ બદ્રકિયા એ ડો.બાબાસાહેબ દ્વારા સમગ્ર હિન્દુસમાજ ની એકતા બંધુતા અંગે ઉત્કૃષ્ટ કાર્ય કરેલા તે વિશે ની વાત કરેલ લલિતભાઈ ભાલોડિયા, મહેશભાઈ બોપલીયા, પ્રચારક હસમુખભાઈ પટેલ, વિજયભાઈ રાવલ, રણછોડભાઈ કુંડારિયા, જેઠાભાઇ કવૈયા ઉપરાંત સ્થાનિક કાર્યકર્તાઓ વિનુભાઈ, રાહુલભાઈ, આરતીબેન શુકલા, ભૂમિબેન તથા અન્ય ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.