મોરબી શહેર યુવા ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ડો.બાબા સાહેબ આંબેડકરની જયંતિના રોજ મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જયુભા જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી, લાખાભાઇ જારીયા પ્રમુખ મોરબી શહેર ભાજપ, અરવિંદભાઈ વાંસદળીયા પ્રમુખ મોરબી તાલુકા ભાજપ, કુસુમબેન કે પરમાર પ્રમુખ મોરબી નગરપાલિકા, ભાવેશભાઈ કણઝારીયા મહામંત્રી મોરબી શહેર ભાજપ, રુચિરભાઈ કારિયા પ્રદેશ યુવા ભાજપ અગ્રણી, જયદીપભાઈ હુંબલ મહામંત્રીશ્રી મોરબી જિલ્લા યુવા ભાજપ, ડી ડી જાડેજા ઉપપ્રમુખ મોરબી જિલ્લા યુવા ભાજપ, વિક્રમભાઈ વાંક મહામંત્રી મોરબી શહેર યુવા ભાજપ, યોગીરાજસિંહ જાડેજા મહામંત્રી મોરબી શહેર યુવા ભાજપ તેમજ અજયભાઇ ગરચર ઉપપ્રમુખ શહેર યુવા ભાજપ, અરુણભાઈ રામાવત, મિતુલભાઈ ધ્રાંગા, કેયુરભાઈ પંડ્યા, રવિભાઈ રબારી, જયેશભાઇ ડાભી તેમજ અજયભાઇ કોટક ઉપપ્રમુખ શહેર યુવા ભાજપ, મહેશભાઈ સોલંકી તેમજ શક્તિસિંહ જાડેજા તથા ધવલભાઈ ત્રિવેદી તથા રાજેશભાઈ પરમાર મંત્રી શહેર યુવા ભાજપ સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.