મોરબી : “હિન્દુ ઓમ સનાતન સંગઠન”દ્વારા અલગ પ્રકારની ઝુંબેશ શરુ કરાઈ 

મોરબીમાં “હિન્દુ ઓમ સનાતન સંગઠન”દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન અંતર્ગત એક અલગ પ્રકારની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.

આ ઝુંબેશમાં મોરબી જિલ્લા ની સમગ્ર સનાતની હિંદુ જનતાને જ્ઞાતિવાદ મૂકીને હિન્દુ બનીએ~એક બનીએ અને સંગઠિત થઈ જ્ઞાતિવાદ બંધ કરીએ એવા મેસેજ સાથે તેમની સંસ્થા અને તેમના કાર્યો કરતા દ્વારા
દરેક મોટર સાયકલ માં, દરેક રિક્ષામાં, દરેક કારમાં, દરેક ધંધા રોજગાર માં, એટલું જ નહીં હવે તો મોબાઈલ ઉપર પણ હિન્દુ લખેલું સ્ટીકર લગાડવામાં આવી રહ્યું છે, આ કાર્ય જોઈ દરેક નાના-મોટા યુવાનો વડીલો બહેનો અને વેપારીઓ આ ઝુંબેશમાં જોડાવા માંડ્યા છે.

એટલું જ નહીં દરેક હિંદુના ઘર,ઓફિસ,દુકાન, ધંધા રોજગાર ઉપર આપણો ભગવો ધ્વજ લહેરાવી શકાય, તે માટે નીશુક્લ ધ્વજ ની વહેંચણી કરવામાં આવી રહી છે અને ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે તો જે પણ હિંદુ સનાતની ભાઈઓ તથા બહેનોને સ્ટીકર કે ધજા લગાવવા ઇચ્છતા હોય તે લોકો વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય મા સંપર્ક કરે સાથે સાથે જે વેદો અને શાસ્ત્રો આપણે ભૂલી ગયા છીએ, તે વૈદિક સંસ્કૃતિને પણ જાગૃત કરવા ઘરે ઘરે વેદો પહોંચાડવામાં આવી રહ્યા છે.

રામસેતુ પુલ બાંધવામાં જૈમ ખિસકોલીએ પણ પોતાની ભૂમિકા ભજવી હતી, તેવી જ રીતે હિન્દુ જાગૃતિ અભિયાન અને આપણી સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાના આવા અથાગ પ્રયત્નો કરવામાં હિન્દુ ઓમ સનાતન સંગઠનની કામગીરી ને ઘણા લોકો સ્વીકારી રહ્યા છે અને સપોર્ટ કરી રહ્યા છે.