હનુમાન ભક્તો ભક્તિભાવે રંગાય ગ્રામ્ય વિસ્તારોમાં પણ શ્રદ્ધા સાથે હનુમાનજીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

સમગ્ર સૌરાષ્ટ્ર મા હનુમાન ભક્તો દ્વારા હનુમાન જન્મ જયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ના વિવિધ શહેર-જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હનુમાનજીના ભક્તો દ્વારા ગુંદી ગાંઠીયા છાશ શરબત વિવિધ મહાપ્રસાદ આરતી ના કાર્યક્રમો યોજાયા છે જેમાં વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે હનુમાન ભક્તો દ્વારા શ્રદ્ધા સાથે પૂજાપાઠ પ્રાર્થના મહાપ્રસાદનું ભક્તિભાવે આયોજન કરાયું હતું જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે