મોરબી :રાજવીર ગ્રુપના માધ્યમથી શ્રીનારાયણ ભક્તિ પંથના સંત સ્વામી લોકેશાનંદજીની પધરામણી

મોરબીના રાજવીર ગ્રૂપના ભરતભાઈ વાધરીયા દ્વારા શ્રીનારાયણ ભક્તિ પંથના સ્વામી લોકેશાનંદજી ની પધરામણી તેમજ સત્સંગ-સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

સ્વામી લોકેશાનંદજી સત્સંગ-સભામાં ભગવાન વિષ્ણુના મૂળ સ્વરૂપ શેષશિર પદ્મનાભ બ્રહ્મા ની ભક્તિ તેમજ શ્રીનારાયણ ભક્તિ પંથના પ્રચારની વિગતવાર ચર્ચા કરી હતી તેમજ સુરતથી 200km દૂર શાહાદા(મહારાષ્ટ્ર) માં શ્રીનારાયણપુરમ તીર્થ ખાતે શ્રી નારાયણ ભક્તિ પંથ દ્વારા ભગવાન વિષ્ણુનું એક શ્રેષ્ઠ મંદિરનું નિર્માણ ચાલુ કરેલ છે જેમાં ભગવાન વિષ્ણુની અષ્ટ ધાતુની 21ટન વજનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે

રાજવીર ગ્રુપ દ્વારા આ આયોજનમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, અરવિંદભાઈ બારૈયા હાજરી આપી હતી