જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ દ્વારા શ્રી ભક્ત રાજ લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથી ની ઉજવણી કરાશે 

જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તા. ૨૩ /૦૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથી ની ઉજવણી કરવામાં આવશે

કોરોના મહામારી ના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજય સંત શ્રી લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૨૩ ને શનિવારે મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧,વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી અને ૧૧:૩૦ કલાકે સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. જે પ્રમુખ ઈશ્વરભાઈ એમ રાઠોડ ની યાદી માં જણાવ્યું છે.