લજાઈ નજીક ખનિજ ચોરીની ભરતી ભરાઈ;માપણી થશે કે પછી બારોબાર વહીવટ!!

મોરબી:જિલ્લામાં ખનિજ ચોરીનો પ્રશ્ન આમ જનતા માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. પરંતુ અધિકારીઓને જનતાની કે સરકારી સંપત્તિની જરાક પણ ચિંતા નથી એવું દેખાય રહ્યું છે. નાના જડેશ્વર નજીક મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ થયેલ છે. આજદિન સુધી નાના જડેશ્વર નજીકથી એક પણ ડમ્પર કે હિટાચી ઝડપાયું નથી.અવાર નવાર ફરિયાદો તેમજ ન્યૂઝ અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે.

ત્યારે નાના જડેશ્વર નજીકથી ગેરકાયદેસર રીતે મોરમ કાઢી લજાઈ નજીક LPG પેટ્રોલ પમ્પ પાસે ભરતી ભરી રહ્યા હોવાનું સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે.

ત્યારે જોવાનું કે મોરબી ભૂસ્તર અધિકારી અને તેમની ટીમ ગેરકાયદેસર ખનિજ ચોરીના માલની ભરતી ભરતા ડમ્પર ચાલકો ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે પછી અહીંયા પણ તોડપાની કરી પોતાનું ગજવું ગરમ કરશે એ તો હવે આવનાર સમય જ બતાવશે