મોરબી જલારામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે

મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે ૧૫ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ આયોજન તા.૨૪-૪ થી ૩૦-૪ દરમિયાન કરવા મા આવેલ છે.

પોથીયાત્રા: તા.૨૪-૪ રવિવાર બપોરે ૪ કલાકે શ્રી દરિયાલાલ મંદીર, બજાર લાઈન થી જલારામ મંદીર,અયોધ્યાપુરી રોડ, કથા ના વક્તા પૂ. રતનેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ), કથા સમય બપોરે ૩ થી ૭ મહાપ્રસાદ: દરરોજ સાંજે ૭:૩૦ કલાકે

દરેક રઘુવંશીઓ તેમજ સર્વે જલારામ બાપા ના ભક્તો ને પોથીયાત્રા મા પધારવા, કથા શ્રવણ કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ છે.