મોરબી : આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ મેલેરીયા દીવસ” ની ઉજવણી કરાઈ

દર વર્ષે તારીખ ૨૫-એપ્રીલ ને વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય તેમના ભાગરૂપે જીલ્લા પંચાયત મોરબી નાં તમામ તાલુકાઓ માં મેલેરીયા અંગે જનજાગ્રુતી લાવવા અને મેલેરીયા મુકત ગુજરાત-૨૦૨૨ નાં સંદેશા અંગે લોકો ને જાણકારી આપવા વગેરે હેતુ થી મોરબી જીલ્લા નાં કુલ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો માં વિશ્વ મેલેરીયા દીવસ ઉજવણી નાં ભાગ રૂપે લોકો માં જન જાગ્રૂતી લાવવા નાં હેતુથી સુત્રોચાર સાથે એક એક રેલી કરવામાં આવેલ.

ઉપરાંત વિવિધ આરોગ્ય સંસ્થાઓ મા મેલેરીયા જનજાગૃતિ અંતર્ગત સંદેશો આપતી રંગોળીઓ બનાવી, લોકોને મેલેરિયા અંગે આરોગ્ય શિક્ષણ આપવા પ્રયત્નો કરેલ. તેમજ શાળાઓમાં બાળકોને મચ્છરના પોરા અને ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ દ્વારા નિદર્શન કરી વિદ્યાર્થી ઓને માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત ગ્રામ્ય લેવલે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા જુથ ચર્ચા, વ્યક્તીગત સંપર્ક, તેમજ મેલેરીયા અંગે નાં સાહીત્ય નાં વિતરણ, લોક આગેવાનો નાં સંદેશા ઓ દ્વારા વગેરે પ્રચાર પ્રસાર નાં માધ્યમો થી લોકો ને મેલેરીયા અંગે માહીતગાર કરવામા આવેલ.

મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના માન. ચેરમેન હીરાભાઈ ટમારિયા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે. એમ કતીરા, તેમજ જીલ્લા મેલેરીયા અધીકારી ડો. સી. એલ. વારેવડીયા – મોરબી જીલ્લા નાં તમામ લોકો મેલેરીયા અંગે જાગ્રૂતી કેળવે અને ગુજરાત રાજ્ય તથા મોરબી જિલ્લાને મેલેરીયા મુકત બનાવવાં સાથ સહકાર આપે તે માટે નમ્ર અપીલ કરે છે.