મોરબીનું એકમાત્ર રાહતદરે કર્તવ્ય પેટ ક્લિનિકનું ઉદ્દઘાટન કરાયું

મોરબી શહેરમાં અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવી 4 વર્ષથી કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના ઉમિયા સર્કલ શનાળા રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પલેક્ષ દુકાન નં. ૪માં શુભારંભ કરવામાં આવ્યો છે.

હવે મોરબીના જીવદયાપ્રેમીઓને પોતાના પશુ-પક્ષીઓને એકદમ રાહતદરે સારવાર આપવામાં આવશે. કર્તવ્ય પેટ ક્લિનિકમાં કોઈપણ બિમાર પ્રાણીઓની સારવાર નહિ નફા નુકશાનના ધોરણે સારવાર પુરી પાડવામાં આવશે. ક્લિનિક થકી પશુઓમાં ચોક્કસ નિદાન માટે લેબોરેટરીમાં પણ ૫૦%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ વેક્સીનેસન તથા દવાઓમાં ૧૫ થી ૨૦% સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે.

કર્તવ્ય પેટ ક્લિનિકમાં બિનવારસી અને માલિક વગરના પશુ-પક્ષીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. પશુ-પક્ષીઓની રાહતદરે સારવાર માટે લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ અનુરોધ કર્યો છે. તેમજ વધુ માહિતી માટે 7574885747 સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.