વાંકાનેરના 15 એથ્લેટસ રાજ્ય કક્ષાએ ભાગ લેશે

મોરબી જિલ્લાકક્ષાનો સ્પેશ્યલ ખેલમહાકુંભ 2021-22 જોધપર (નદી) મહાત્મા ગાંધી સ્કૂલ માં( માનસિક ક્ષતિ/શ્રવણ ક્ષતિ/લો વિઝન- ટોટલી બ્લાઈન્ડ/ શારીરિક ક્ષતિ ) તા: ૨૯-૪-૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ. જેમાં મોરબી જિલ્લાના 182 એથ્લેટસ માંથી વાંકાનેર તાલુકાના ૮૩ એથ્લેટસોએ જુદી જુદી રમતોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

વાંકાનેરના પ્રથમ ક્રમે વિજેતા થનાર 15 એથ્લેટસ રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે.આ સ્પે.ખેલ મહાકુંભની જુદી જુદી રમતોનું આચાર્ય દિપાલીબેન અનિલકુમાર જે આ દિવ્યાંગ બાળકોના સ્પે. એજ્યુકેટર છે તેમણે કોચ તરીકે માર્ગદર્શન આપ્યું હતું.