વાંકાનેર : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાંકાનેર તાલુકામાં તારીખ ૫-૫-૨૦૨૨ ને ગુરૂવારના રોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. વાંકાનેર તાલુકાની સમગ્ર જનતાને આ શિબિરમાં ભાગ લેવા તથા જીવનમાં યોગ અપનાવવાનું આહ્વાન આપવામાં આવે છે.

આ શિબિર દરમિયાન યોગાસન, પ્રાણાયામ, રોગ અનુસાર યોગ, યોગ નિંદ્રા વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર ની તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

સમય સવારે ૬ થી ૯ સ્થળ ‘વેદમાતા ગાયત્રી સ્કૂલ’ના મેદાન ના હોલ માં ગાયત્રી મંદિર, વાંકાનેર વધુ માહિતી માટે સંપર્ક કરો યોગ કોચ દિપાલીબેન આચાર્ય 9265256365