મોરબી : ટ્રિપલ અકસ્માતમાં ૫ લોકોના મૃત્યુ

મોરબી માળીયા હાઈવે પર અમરનગર ગામ પાસે કાર ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત ૫ લોકોના મોત

મોરબી માળીયા હાઈવે પર અમરનગર ગામ પાસે કાર ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો કારમાં સવાર એકજ પરીવારના ચાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય ભુજ માધાપર ના એક યુવાનનું મૃત્યુ થયું છે

મોરબીના વકીલ પ્રકાશ રવેશિયાના પરિવારના એક સાથે 4 લોકોના મૃત્યુ થયા છે જેમાં તેમના પિતા , માતા, બહેન અને તેમના ભાણેજનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે જિજ્ઞાબેન ભડિયાદ ગામના તલાટી મંત્રી હતા <span;>મૃતકોમાં મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, મહેન્દ્રભાઈના પુત્રી જિજ્ઞાબેન જિગરભાઈ જોબનપુત્રા અને જિજ્ઞાબેનના પાંચ વર્ષના બાળકનું તેમજ માધાપર કચ્છના ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈનું મૃત્યુ નીપજ્યું

કટારીયાથી મોરબી તરફ આવતા સમયે થયો અકસ્માત  ટાયર ફાટવાના કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો જેમાં 5 લોકોનુ ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે