મોરબી સીટી લાયન્સ ક્લબ દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ કરાઈ

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બળદેવભાઈ લીખીયાને રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ નિમિતે શનાળા રોડ પર આવેલા ચિત્રા હનુમાનજી મંદિર ખાતે ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી

આ ટ્રાયસિકલ અર્પણ વિધિમાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232જે (સૌરાસ્ટ્ર -કચ્છ)દ્વતિય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, લા. સભ્યો ચંદુભાઈ કડીવાર, પ્રાણજીવનભાઈ રંગપરીયા, મણીલાલ કાવર અને પ્રોજેક્ટ ચેરમેન લા.મહાદેવભાઈ ચિખલિયા હાજર રહ્યા હતા તથા હનુમાનજી મંદિરના પૂજારીના આશીર્વાદથી ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી તેમજ બળવંતભાઈને સાયકલ પર સવાર કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.