જામનગર મુસ્લિમ અગ્રણી વાંકાનેર તાલુકા વિસ્તારમાં સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી

વાંકાનેર: તાજેતરમાં જ વાંકાનેર પંથકના વિવિધ વિસ્તારોમાં જામનગરના વિવિધ સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા યુસુફભાઈ પરાસરા સમાજના અગ્રણી સર્વે સમાજ ચિંતક એ વિવિધ સંસ્થાઓ ના અગ્રણીઓ આગેવાનો સાથે જામનગરના વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ એસટી યુનિયન અગ્રણી એવા યુસુફભાઈ એ પરાસરા વાંકાનેર તાલુકામાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી છે કરી જેમાં જાણવા મળતી વિગત અનુસાર ગત તારીખ 9- 5-2022 ના રોજ ખાસ પ્રસંગે હાજરી આપેલ હોય તે સમય દરમ્યાન વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો અને સમાજ સાથે ચર્ચા વિચારણા કરી હતી

જેમાં વાંકાનેર તાલુકામાં આવેલા અરણીટીંબા ગામે 108 ની જેમ ઇમર્જન્સી સમાજ સેવા કરતા સહકારી મંડળીના પ્રમુખ અલીભાઈ માથકિયા સાથે બપોરના સમયે 1:30 કલાકે સહકારી મંડળી ખાતે મુલાકાત કરી હતી અને વિવિધ સેવાકીય સમાજ ચિંતક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ સાંજે 7:00 વાગ્યાના સુમારે વાંકાનેર તાલુકાના પીપળીયા ગામ ખાતે અહેમદભાઈ એચ માથકિયા રબ્બાની એજ્યુકેશન સંસ્થાના ટ્રસ્ટી તેમજ ગુલામભાઈ ફતેભાઈ માથકિયા રબ્બાની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કચ્છ ના ટ્રસ્ટી તેમજ નજરુદ્દીન ભાઈ માથકિયા રબ્બાની ટ્રસ્ટના પ્રમુખ કચ્છ મુન્દ્રા થી હાજરી આપેલ છે

જ્યાંરે જામનગર થી ડૉ. ગુલામ જિલ્લાની પરાસરા સહિત બશીર ભાઈ એચ માથકિયા પીર મશાયખ ચિસ્તીયા ટ્રસ્ટી પીપળીયારાજ અને મો.તાહિર નક્સબંધી લુણી શરીફ કચ્છ સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ આગેવાનો અને સમાજ ચિંતકો સાથે ટૂંકી મુલાકાત કરી હતી અને સમાજ કુરિવાજો અને શિક્ષણ અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે તશવીરમાં સર્વે સમાજના અગ્રણીઓ સાથે ની મુલાકાત માં સર્વે સમાજ ચિંતક જામનગર મુસ્લિમ સમાજના વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ યુસુફ ભાઈ પરાસરા તસવીરમાં નજરે પડે છે