મોરબીમાં રાજપૂત કરણી સેનાનું વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું

મોરબી:મોરબી શહેર જિલ્લાના વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા એટલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક દ્વારા તાજેતરમાં જ રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રા શરૂ કરવામાં આવી છે જે યાત્રા માતાનામઢ થી સોમનાથ સુધીની યાત્રા મોરબી ખાતે 12.5.2022ના રોજ 05:30 કલાકે પહોંચતા તેનું ભાવભર્યું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

જેમાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો હોદ્દેદારો અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સંગઠનના સભ્યો સાથે સારી એવી જહેમત ઉઠાવી હતી તેમ એક અખબારી યાદીમાં કમલેશભાઈ બોરીચાએ જણાવ્યું છે