ત્રાજપર, માળીયા વનાળીયા ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી તરીકે વિમલ ચંદ્રાલાની નિમણૂંક કરવા માંગ

મોરબી તાલુકાના ત્રાજપર, માળીયા વનાળીયા ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી તરીકે વિમલ ચંદ્રાલાની નિમણૂંક કરવા અંગે ત્રાજપર ગ્રામ પંચાયત સરપંચ પી.એ.ટીડાણીએ નાયબ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે.

તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી તરીકે વિ.એસ.ચંદ્રાલા ની તા.૭/૫/૨૦૨૨ ના રોજ બદલી કરેલ જે અંતર્ગત નાયબ જીલ્લા વિકાસ અધિકારીને તા. ૯/૫/૨૦૨૨ રોજ બદલી અટકાવવા આવેદન પત્ર આપેલ,પરંતું નાયબ જીલ્લા વિકાસ અધિકારી તરફથી કોઈ હકારાત્મક જવાબ ન મળેલ.

જે અંતર્ગત વિ.એસ.ચંદ્રાલાની નીમણૂક ફરીથી ત્રાજપર ગ્રામ પંચાયત તથા માળીયા – વનાળીયા ગ્રામ પંચાયતમાં કરવા આ આવેદનપત્ર ફરીથી આપીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે, ત્રાજપર ગ્રામના હિતમાં વિ.એસ.ચંદ્રાલા ફરીથી દિન-૭ માં નીમણૂકનો હુકમ ન કરવામાં આવે તો આ પત્ર થી આપ ને જાણ કરીએ છીએ કે સરપંચ તથા ગ્રામ પંચાયત બોડી સહીત ગ્રામજનો દ્વારા પંચાયતને તાળાબંધી કરી જીલ્લા પંચાયત કચેરીએ ધરણા કાર્યક્રમ કરવાની ના છુટકે ફરજ પડશે તેવી ત્રાજપર ગ્રામ પંચાયત સરપંચે ચીમકી ઉચ્ચારી છે.