મોરબી જીલ્લામાં ઈશુદાનની હાજરીમાં પરિવર્તન યાત્રા યોજાશે

આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના ૧૮૨ વિધાનસભા ના મત વિસ્તારોમાં પરિવર્તન યાત્રા શરુ કરેલ છે. આ પરિવર્તન યાત્રા વખતે આગામી તા : ૨૪/૦૫/૨૦૨૨, ૨૬/૦૫/૨૦૨૨ અને ૨૭/૦૫/૨૦૨૨ ના રોજ મોરબી – માળિયા વિસ્તાર માં સ્વાગત કાર્યક્રમ, રેલી, જનસંવાદ તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાતો જેવા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેની વિગત નીચે મુજબ છે.

તા.૨૪/૦૫/૨૦૨૨ વાવડી રોડ , સરદાર ચેમ્બર્સ , મોરબી ખાતે રાત્રે ૮ થી ૧૦ ઈશુદાન ગઢવી નો જનસંવાદ સભા,
તા.૨૬/૦૫/૨૦૨૨ સવારે ૯ વાગ્યે સર્કીટ હાઉસ ખાતે યાત્રા નું સ્વાગત ત્યાંથી બાઈક અને કાર સાથે રેલી સ્વરૂપે મયુર પૂલ થઇ નહેરુ ગેટ, ગાંધી ચોક, રવાપર રોડ, નર્શંગ ટેકરી, રવાપર ચોકડી, અવની ચોકડી, શનાળા રોડ, નવું બસસ્ટેનડ, રામ ચોક, જુનું બસ સ્ટેનડ, પંચાસર રોડ થઇ વાવડી ગામ પૂર્ણ બપોરે ૧ વાગ્યે, ૧ થી ૪ – વાવડી ગામમાં વિરામ, ૪ થી ૮ – આજુબાજુના ધાર્મિક સ્થળોની મુલાકાત, ૮ થી ૧૦ – જનસંવાદ વાવડી ગામ ચોરો, બાદ વિરામ

તા.૨૭/૦૫/૨૦૨૨ સવારે ૯ વાગ્યે માળિયા ( મી . ) ખાતે જવા રવાના માળિયા મી. શહેર ના મુખ્ય માર્ગો પર ૧૦ થી ૧૨ વાગ્યે યાત્રા ફરશે ત્યાર બાદ, ૧ થી ૪ – જસાપર ગામે વિરામ, ૪ થી ૭ – ગામ લોકો સાથે મીટીંગ અને ગામના ધાર્મિક સ્થળોની મુલાકાત, ૮ વાગ્યે – મોરબી નરસંગ ટેકરી , રવાપર રોડ ખાતે સભા, ૧૦ વાગ્યે – ધ્રાંગધા તરફ જવા રવાના

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમ આદમી પાર્ટી ના નેતા ઈશુદાન ગઢવી, રાજુભાઈ કરપડા ( આપ ગુજરાત પ્રદેશ કિશાન સેલ પ્રમુખ ), કૈલાશદાન ગઢવી (આપ ગુજરાત પ્રદેશ ખજાનચી ), સહીત ના આગેવાનો પધારવાના છે.