ભાજપ કોંગ્રેસ માટે ખતરે કી ઘંટી!? વાંકાનેરમાં “આપ” ની પરિવર્તન યાત્રા નવયુવાનોમાં નવા પરિવર્તન સાથે જન સંપર્ક શરૂ

રિપોર્ટ ઈલ્યાસખાન વાંકાનેર : વિધાનસભા 2022 ની ચૂંટણી નજીક આવી રહી છે જેથી મોટા ભાગની રાજકીય પાર્ટીઓ ના નેતાઓ દ્વારા જુદા જુદા બેનર નામ સાથે વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે ગુજરાતના વિવિધ શહેર-જિલ્લામાં ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી આપે પણ કાર્યક્રમોની શરૂઆત કરી દીધી છે જેના અનુસંધાને વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો દ્વારા દેખાવ દર્શન કાર્યક્રમ સાથે પરિવર્તન યાત્રા યોજી હતી

સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં નવયુવાનોમાં નવા પરિવર્તન લાવવાના પ્રયાસો કરીને ભાજપ-કોંગ્રેસને સત્તા થી દૂર કરી આપના ઉમેદવાર સત્તા પ્રાપ્ત કરે તે દિશામાં સમગ્ર ગુજરાત માં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા યોજવામાં આવી રહી છે તેમાં વાંકાનેર ખાતે તારીખ 27-5-2022 ના રોજ ઈશુદાન ગઢવી સ્ટાર પ્રચારક આમ આદમી પાર્ટી આપના નેતા આ પરિવર્તન યાત્રામાં મતદાર પોતાના મિજાજ માં પરિવર્તન લાવવાના પ્રયાસો કરી રહ્યા હોય ત્યારે ભાજપ કોંગ્રેસ માટે રાજકીય ક્ષેત્રે વિધાનસભા 2022 માટે ખતરાની ઘંટી સમાન મતદાર પ્રજા મહેસૂસ કરી કરી રહ્યા હોય તેમ વિવિધ કાર્યક્રમો રાજકીય પાર્ટીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે