હળવદ મા આપ ની પરિવર્તન યાત્રા પહોંચતા રેલી યોજાઇ

આપ ના દરેક યોદ્ધા દેશહિત માટે લડવા તૈયાર – રાજુ કરપડા

વિશાલ જયસ્વાલ હળવદ : ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પર પાર્ટીની પરિવર્તન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે હળવદ વિધાનસભા વિસ્તાર માં ૬૪ હળવદ ધાંગધ્રા મતવિસ્તારમાં આ પરિવર્તન યાત્રા આવી પહોંચતા ભવ્ય રેલી યોજાઇ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

રેલી બાદ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપ સરકાર ની નિષ્ફળતા તેમજ ગુજરાત ના આરોગ્ય,શિક્ષણ જેવા વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી

આ યાત્રા મા પ્રદેશ કિશાન ના નેતા રાજુભાઈ કરપડા ,તેમજ પ્રદેશ ખજાનચી કૈલાશ ગઢવી સહિત મોરબી જિલ્લા ના હોદેદારો અને હળવદ તાલુકા ના મહામંત્રી વિપુલ રબારી ,પ્રમુખ હિતેશ વરમોરા,ચંદુ ભાઈ મોટી સહિત ના હાજર રહ્યા હતા