મોરબીના નાની વાવડી ગામે બંધ મકાનનું તાળું તૂટ્યું

મોરબી શહેર અને તાલુકામાં તસ્કરો બેફામ બની ગયા છે અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે. ત્યારે નાની વાવડી ગામે બંધ મકાનનું તાળું તૂટ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના બજરંગ ગેટ અંદર આવેલ જયશક્તિ સોસાયટીમાં રહેતા અશોકભાઈ ટુંડિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અશોકભાઈ ટુંડિયા બે દિવસથી નારણકા ગામે પોતાના મામાના ઘરે ગયા હતા. તે દરમિયાન મકાન બંધ હોવાના કારણે ગુરૂવારના રાત્રે તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાંથી નાની છોકરી માટે ગલ્લામાં એકત્રિત કરેલ આશરે ૮ થી ૧૦ હજાર જેવી માતબર રકમ ચોરી ગયા હતા. આ અંગે અશોકભાઈએ એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી.