મોરબી નગરપાલિકા દ્વારા દોઢ વર્ષમાં થયેલ કામગીરી સાથે નંદી ઘર માં સહયોગ આપનાર દાતાઓનો સન્માન નો કાર્યક્રમ યોજાશે

તારીખ 5-6-2022 ને રવિવારે સાંજે મોરબી નગરપાલિકા દ્વારા નંદી ઘર નિભાવ માટે આર્થિક સહયોગ આપનાર દાતાઓનું સન્માન સાથે સાથે વિવિધ વિકાસલક્ષી કાર્યો દોઢ વર્ષમાં કરેલા હોય તેની માહિતગાર સમીક્ષા તેમજ નવા કાર્યો અંગે ની જાણકારી આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે જેમાં ઉપસ્થિત રહેતા ગ્રામ્ય વિકાસ મંત્રી બ્રિજેશભાઈ મેંરજા તેમજ ભારતીય જનતા પાર્ટીના મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા સહિત મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દુર્લભજીભાઈ દેથરીયા સહિત નગરપાલિકાના મહિલા પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા મોરબી નગરપાલિકાના વિવિધ શાખાના ચેરમેન વિગેરે મોરબી ખાતે પંચાસર રોડ પર આવેલા નંદી ધર ખાતે યોજવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી નગરપાલિકાના હોદ્દેદારો કર્મચારીઓ સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે