મોરબીમાં સતવારા જ્ઞાતિનો કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ- મોરબી દ્વારા આયોજિત ધોરણ ૧૦ ;૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું ? તે અંગે માર્ગદર્શન આપવા મોરબી સતવારા જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઇ કંઝારિયાના પ્રમુખ સ્થાને સેમિનાર યોજાયેલ
ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ પછી શું કરવું ? તે અંગે મૂંઝવણો અનુભવતા હોય છે .તો તે અંગે માહિતી અને માર્ગદર્શન માટેના આ કાર્યક્રમમાં સીવણ ક્લાસની બેહેનોની પ્રાર્થના બાદ, સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને, સર્વે મહેમાનોનું શબ્દોથી સ્વાગત દેવેશભાઈ કંઝારિયાએ કરેલ

આ પ્રસંગે ધોરણ 10 પછી શું કરી શકાય ? તે અંગે યોગેશભાઈ કંઝારિયાએ વિસ્તૃત ચર્ચા કરી ત્યારબાદ ધોરણ 12 પછી વિશાળ તકોની વાત શ્રી એમ.એમ સાયન્સ કોલેજના એનસીસી ઓફિસર પ્રો.ડો. શર્માસાહેબે અનેક નવી તકોની ચર્ચા કરી, ધોરણ 10 પાસ કે નપાસ વિદ્યાર્થીઓ માટે સ્વરોજગારી માટે ITI મા વિશાળ તકોની વાત દેવેશભાઈ કંઝારિયાએ કર્રી, ગ્રેજ્યુએટ પછી વિશાળ તકો અંગે શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.દંગી સાહેબ તથા શ્રી જી .જે .શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. ગરમોરા વિસ્તૃત માહિતી આપી

આજના યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી ? તે અંગેની માહિતી જામજોધપુર કોલેજના પ્રો. ડો.સુનીતાબેન કંઝારિયાએ કરી,મોરબી જિલ્લાના રોજગાર કચેરીના ચતુરભાઈ વરાણીયાએ સ્વરોજગારી ,નોંધણી અને ભરતી અંગે માહિતી આપી તો જગદીશ ભાઈ સોનગાએ CA/CS/ CWA વિશે માહિતી આપેલ.

આ પ્રસંગે જ્ઞાતિના અને કાર્યક્રમના પ્રમુખ ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવેલ કે વિદ્યાર્થીઓએ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, એડમિશન જ્યાં લેવું હોય તેના ફોર્મ સમયસર ભરી દેવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ જે વિદ્યાર્થી મિત્રો દસ -બાર કલાક મહેનત કરતા હશે તેઓ જરૂર સફળ થશે જ કારણ કે એકવીસ મી સદી એ જ્ઞાનની સદી છે કાર્યક્રમના અંતમાં દરેક વક્તાઓનુ પ્રમુખશ્રીના હસ્તે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા નવગામ જ્ઞાતિના મંત્રી રમેશભાઇ પરમાર વિશેષ ઉપસ્થિત રહેલા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ધોરણ 10 ,12 અને કૉલેજ પછી શું કરી શકાય. ? તે અંગેના પેમ્પલેટ વગેરે સાહિત્ય આપવામાં આવેલ

કાર્યક્રમના અંતમાં સર્વે મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થી ભાઈ-બહેનોનો આભાર કેતનભાઇ પરમારે માનેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમારે કરેલ.