નારી તું નારાયણી : “અનોખી”ની કલમે…

અનોખી (નિલમ ચૌહાણ) : આ ધરતી પર ભગવાને બનાવેલી માનવ જાતી માં એક શ્રેષ્ઠ સર્જન એટલે કે નારી. આ ભગવાનના શ્રેષ્ઠ સર્જનમાં એક અનેરી શક્તિ સમાયેલી છે જે બીજા સર્જનનો માંથી કંઈક ખાસ છે ચાલો મિત્રો આપણે એને આજે થોડું વધુ નજીકથી જાણવા પ્રયત્ન કરીએ.

આપણી ભારતીય સંસ્કૃતિમાં પુરુષોને નર સ્વરૂપ મનાઈ મનાય છે ને સ્ત્રીને નારી કહેવાય છે .પણ આજે હું તમને એ નારીની નારાયણી સ્વરૂપે એણે કંઈક બતાવવા માંગુ છું. સીતા સ્વરૂપમાં માં જાનકી એ ત્રિલોક વિજેતા રાવણને એક તણખલા ના સહારે ત્યાં જ ઉભો રાખી દીધો હતો. ને રાક્ષસોના સંહાર માટે માં અંબાએ મહાકાલી સ્વરૂપ ધારણ કરી રાક્ષસોનું વધ કર્યો હતો. સતી અનસોયા જેવી પતિવ્રતા સ્ત્રી જેમની બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બાળક સ્વરૂપે પોતાની પાસે પોતાના પુત્ર બનાવી લીધા.

મહાભારતમાં ગાંધારીએ પોતાના પતિ અંધ હોવાને કારણે એની આંખો પર જીવન ભર પટ્ટી બાંધી લીધી અને એની આંખોના તેજથી એક જ નજરે પોતાના પુત્ર દુર્યોધન ને લોખંડનો બનાવી દીધો હતો. આમ, શાસ્ત્રોમાં પણ નારી નારાયણી સ્વરૂપે સાબિત થઈ છે.

રાણી લક્ષ્મીબાઈ જેમણે એકલા હાથે ઝાંસીની બચાવવા માટે લડાઈ કરી હતી. જીજાબાઈ જેને મહારાણા પ્રતાપ જેવા શૂરવીર પુત્ર ને આ સમાજને આપ્યો અને હિન્દુ ધર્મની ધર્મ ધ્વજા જાળવી રાખી. મણીબેન પટેલ જેમણે પોતાના પિતા સરદાર વલ્લભભાઈ પટેલ માટે પૂરી જિંદગી અપરિણીત રહ્યા અને પોતાના જાત ને દેશ સેવા માં સોંપી દીધી. સતી તોરણ જેને જેસલ જાડેજા જેવા બહારવટિયા ને સાચો રસ્તો બતાવ્યો. કલ્પના ચાવડા પહેલી અવકાશમાં જનારી મહિલા બની. આમ, ઇતિહાસ બની ચૂકી એવી આ નારીઓ જે નારાયણી સ્વરૂપ સાબિત થઈ છે.

આજની નારી વિશે હવે આપણે થોડી વાત કરીએ તો આજે કોઇપણ એવું ક્ષેત્ર નથી કે જેમાં નારી નથી. આજની સ્ત્રી દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. આજની નારી દુનિયામાં નાનામાં નાના કામથી મોટામાં મોટા કામ માં નારી આગળ છે. કદાચ આજની નારી ના ઉદાહરણો આપવા જઈએ તો ઓછા જ પડશે પણ હવે નારી તું નારાયણી શબ્દ પણ ઓછો જ પડશે.
નારી જન્મે છે ત્યારે એક દીકરી સ્વરૂપે પોતાના ઘરની લક્ષ્મી બનીને આવે છે, ને સાસરે જાય છે ત્યારે એક પતિની પત્ની બનીને ઘરની અન્નપૂર્ણા બનીને જાય છે, અને જ્યારે તે બાળકની માતા બને છે ત્યારે પોતાના સંતાનોની સૌથી પહેલી અને શ્રેષ્ઠ ગુરુ બની જાય છે.

આમ એક નારી સમયે સમયે પોતાના ત્યાગ, સમર્પણ અને પ્રેમથી પ્રેમથી પોતાના બન્ને કુળને ઉજાગર કરે છે. એક નારી દીકરી સ્વરૂપે પોતાના પિતા ની પાઘડી ગણાય છે તો નારી એક બીજા એના પરિવારની પુત્રવધૂ સ્વરૂપે પોતાના પતિનું સ્વાભિમાન ગણાય છે. આમ, નારી બે- બે પરિવાર ની ઈજ્જત જાળવે છે એટલે કહી શકાય નારી તું નારાયણી.

આજના સમયમાં પણ માતા-પિતા પારકી થાપણ કહેવાય ને સાસરા માં પારકી દિકરી કહે તોય બંને પરિવારો ને પોતાના માને એ નારી. લગ્ન થાય એટલે છેલ્લે એક અંગૂઠો નઈ પણ પૂરેપૂરા બંને હાથની છાપ આપી ને બધું જ સોંપી દે આજથી મારો અહીં કોઈ જ અધિકાર નઈ એક તમારા પ્રેમ સિવાય એ છે ભારતીય નારી. આવો ત્યાગ કોઈ બીજું ના કરી શકે એટલે નારી તું નારાયણી.

નારી પોતાની સુંદરતા અને અસહ્ય તકલીફ ના ભોગે નવમા પોતાના ઉદરમાં એકલી જ પોતાના બાળકનું સિંચન કરે છે અને એને આ ધરતી પર લાવે છે આ એક નારી જ કરી શકે. નવ માસ સિંચન કરેલા બાળકનો જન્મ થાય તરત જ એના નામ પાછળ એના પિતાનું નામ આપી દે અને પોતે બાજુ પણ થઈ જાય.માટે કહી શકાય નારી તું નારાયણી.

આજની નારી ઘર પરિવારની સાથે પોતે પોતાના પગ પર ઊભી હોય છે. પોતાના માન ,પ્રતિષ્ઠાને આત્મનિર્ભરતા માટે પોતે કમાઈ પણ છે અને પરિવારને પણ સંભાળે છે એ છે. આજની નારી આર્થિક, ધાર્મિક, સામાજિક અને રાજકીય દરેક ક્ષેત્રમાં પહેલા નંબર પર છે નારી.

આજની નારી અન્નપૂર્ણા સ્વરૂપે ઘરમાં તો વર્કર્સ સ્વારૂપે કંપનીમાં, ટોપલા સ્વરૂપે મજૂરીમાં તો એન્જિનિયર સ્વરૂપે બિલ્ડરોમાં, ગૃહ ઉદ્યોગ કરતી ગૃહિણીથી માંડીને મોટી કંપનીઓની ઓનર તરીકે, તો રેકડી ચલાવતી શાકભાજી વેચનાર થી માંડીને વિમાન ચલાવતી પાયલોટ, રસોઈમાં વગર ચિપિયે રોટલી થી માંડીને દુનિયાનો મોટામાં મોટા ખતરા વાળું કોઈ જ પણ કામ કે પછી શહેરમાં રહેતી પોલીસ સ્વરૂપે થી માંડીને સરહદ પર એક જવાન સ્વરૂપે આજની નારી કોઈ જ પણ જગ્યાએ પાછળ નથી માટે કહી શકાય નારી તું નારાયણી.

સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સધિકે,
શરણીયે ત્રંબકયે ગૌરી નારાયણી નમોસ્તુતે.

આમ, નારીને અહીં સર્વનું મંગલ કરનારી અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન જેના હાથમાં છે એવી અને એને ગૌરી એટલે માં શક્તિ માની અને એના કરણ માં જઈ વંદન કરવા યોગ્ય નારાયણી મનાઈ છે.
આમ, અનંત કાળ થી જ શાસ્ત્રોમાં પણ નારીને નારાયણી નું સ્થાન અપાયું છે માટે, કહી શકાય કે નારી તું નારાયણી.