મોરબી : ધોરણ 1 થી 3 માં અંગ્રેજી વિષય શરૂ કરવાના નિર્ણયમાં ફેરવિચારણા કરવા આવેદન

ધોરણ ૧ થી ૩ માં અંગ્રેજી વિષય શરૂ કરવાનાં સરકારનાં નિર્ણયની ફેરવિચારણા માટે મોરબી જિલ્લા કલેકટર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન અપાયું

ધોરણ ૧ થી ૩માં અંગ્રેજી વિષય શરૂ કરવાનાં સરકારનાં નિર્ણયની ફેરવિચારણા માટે મોરબી શ્રી સરસ્વતી શિશુમંદિરની વ્યવસ્થાપક ટીમ દ્વારા મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ તથા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.જે. સોલંકીને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું.

આ તકે રાષ્ટ્રીય સ્વયંસેેવક સંઘનાં મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઇ બોપલીયાની વિશેષ ઉપસ્થિત રહી.