મોરબી : “ફળ અને શાકભાજીના નાના વેચાણકારોને છત્રી/શેડ કવર માટે અરજી કરી શકશે

અરજદારોએ ૧૬મી જુલાઈ સુધી અરજી કરી સાધનીક પુરાવા રજૂ કરવા

        મોરબી જિલ્લાના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારી વાળા માટે  વિના મુલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે.આ યોજના હેઠળ પુખ્ત વયની વ્યક્તિને (આધારકાર્ડ દિઠ એક વ્યક્તિને) લાભ મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે I khedut portal પર આગામી તા.૧૬/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પૂરાવા જેવાકે  રેશનકાર્ડની નકલ, આધારકાર્ડની નકલ તથા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધીત ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનુ ઓળખપત્ર/દાખલો સહિતની અરજી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે મોકલી આપવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.