મોરબી : જંત્રાખડી બાળકીનું દુષ્કર્મ/હત્યા બાબતે વહેલી તકે ન્યાય અપાવા રજુઆત

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કચ્છ મોરબી જિલ્લા સાંસદ અને પ્રદેશ ભાજપ મંત્રી વિનોદભાઈ ચાવડા તથા રાજ્યના પંચાયત મંત્રી બિજેશભાઈ મેરજાની હાજરીમાં મોરબી ની મુલાકાતે આવેલ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષદભાઈ સંઘવીને રૂબરૂ મળીને કોડીનારના જંત્રાખડી ગામના આઠ વર્ષની ફૂલ જેવી બાળકી પર દુષ્કર્મ કરી હત્યા નિપજાવી તેના અનુસંધાને પરિવારને ટૂંક સમયમાં ન્યાય મળે તેમ જલ્દી સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી ન્યાયની કાર્યવાહી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચલાવીને બેથી ત્રણ મહિનામાં ન્યાય અપાવવા તથા સહ પરિવાર ને સરકારી સહાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આ તકે ગોસ્વામી સમાજ ના પ્રમુખ મહંત શ્રી ગુલાબ ગીરી તથા સમાજના આગેવાન અને પત્રકાર સુરેશગીરી ગોસ્વામી સાથે રહે અને આ તકે સરકાર તરફથી એવી ખાતરી આપવામાં આવેલ કે આ બાબતે ઝડપી અને યોગ્ય નિર્ણય આપી અને કડકમાં કડક સજા મળશે એવી ખાતરી સમાજને આપવામાં આવી હતી