ડ્રિસના પારીઆએ વૃક્ષો વાવી જન્મ દિવસની ઉજવણી કરી

વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રમુખ પરેશ પારીઆ અને નંદીની પારીઆની પુત્રી ડ્રિસના પારીઆ આજે પાંચ વર્ષની ઉમર પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષ વાવી ઉજવણી કરવામાં આવી.

પરસોતમ ચોક મોરબી ખાતે આવેલ રાધે-કૃષ્ણ અને શનિની ના મંદિર પટાંગણ માં ૫(પાંચ) વૃક્ષો વાવવામાં આવ્યા આ સમયે પરસોતમ ચોક ના રહેવાસીઓ ઉપસ્થિત રહેલ. ડ્રિસના ના માતા-પિતા પરેશ પારીઆ અને નંદીની પારીઆ દ્વારા દર વર્ષે વૃક્ષો વાવી તેનું જતાં કરવામાં આવે છે.