હરબટીયાળી ગામની ગૌશાળા ખાતે ટંકારા મહિલા મોરચાના હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરાયું

ટંકારા: લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તાજેતરમાં ટંકારા ખાતે મહિલા મોરચાના હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની ગૌશાળામાં ટંકારા ભાજપ મહિલા મોરચાના ભાવનાબેન કૈલા સહિતના હોદ્દેદારો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. સાથે જ પર્યાવરણનું જતન કરી વધુ વૃક્ષો વાવવા સંદેશ પાઠવ્યો હતો.